|
જિલ્લાનો પરિચય
|
આઝાદી પહેલાં સુરત ગ્રામ્ય ગાયકવાડી રાજ્ય બરોડા વિભાગ સાથે સંકળાયેલું હતું અને ત્યાર બાદ ગુજરાત રાજ્યની "૧લી મે ૧૯૬૦"માં સ્થાપના થઇ તે પહેલાં મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ હતું. ત્યાર બાદ સ્વતંત્રતા મળ્યા પછી રાજ્ય સરકાર દ્વારા લોકશાહી ઢબે અને જુદા જુદા વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે અને બહોળો વિસ્તાર અને વસતીના વધારા તેમ જ કામગીરીમાં સરળતા અને કાયદો વ્યવસ્થાની વધુ સારી જાળવણી સારુ સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક -એકાઆઈએસ/ ૧૪૭૪ / પર૯૦ / બી તા.૬/૪/૧૯૭૬થી સુરત જિલ્લાનું સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તાર એમ બે વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું અને તા.૦૧/૦૮/૧૯૭૬ થી સુરત જિલ્લો સ્વતંત્ર રીતે કાર્યરત થયેલ હતો . ત્યારે સુરત ગ્રામ્ય જિલ્લામાં ૧ર તાલુકા અને ૧પ પોલીસ સ્ટેશનો આવેલાં હતા.
ત્યારબાદ સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક - PFR/ 5207/MR/56/l-1 તા.૨૭/૦૯/૨૦૦૮ થી સુરત જિલ્લા નું (૧) સુરત ગ્રામ્ય અને (૨) તાપી ( વ્યારા ) એમ બે જિલ્લામાં વિભાજન થવાથી હાલમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં ૭ ( સાત ) તાલુકાઓ અને (૧) ઓલપાડ (૨) કામરેજ (૩) કોસંબા (૪) માંગરોલ (૫) માંડવી (૬) બારડોલી (૭) મહુવા અને (૮) પલસાણા અને (૯) કડોદરા જીઆઇડીસી (૧૦) ઉમરપાડા (૧૧) મહિલા (૧૨) કીમ અને (૧૩) બારડોલી ગ્રામ્ય પો.સ્ટે.મળી કુલ – ૧૩ ( તેર ) પોલીસ સ્ટેશનો આવેલા છે.
સુરત ગ્રામ્ય જિલ્લો ખેતીવાડી તેમજ ઔદ્યોગિક દ્દષ્ટ્રી એ ખુબજ મહત્વનું સ્થાન ધરાવે છે. તેમજ સુરત ગ્રામ્ય જિલ્લામાં મહત્વનો સાગર કિનારો આવેલ છે.સુરત ગ્રામ્ય જિલ્લામાંથી દેશના સૌથી અગત્યના અને વાહન વ્યવહારમાં વ્યસ્ત એવા નેશનલ હાઇવે નંબર ૮ અને નેશનલ હાઇવે નંબર ૬ પસાર થાય છે.
|
|
|
|
|