પોલીસ શું શું સેવાઓ આપે છે
?
કાયદો અને વ્યવસ્થા તેમ જ જાહેર વ્યવસ્થાની જાળવણી કરે છે. ગુનાઓ અટકાવવા તથા શોધવાની ગુનાઓ નોંધવાની, તપાસવાની , આરોપીને અટક કરવાની અને તે સામે કામ ચલાવવાની કાર્યવાહી કરે છે. વ્યવસ્થિત લોકોને તરત રક્ષણ આપે છે. વાવાઝોડું, આગ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી
ઘટાનાઓ તથા બીજી આફતો વેળા પબ્લિકને મદદ કરવાની સેવાઓ આપે છે.
લોકો પોલીસનો સંપર્ક કઈ રીતે કરી શકે ?
ટેલિફોનથી તરત મદદ માટે કે અન્ય માહિતી આપવા
માટે લોકો પોલીસ કંટ્રોલરૂમ ઉપર જાણ કરી કંટ્રોલમાં નોંધ કરાવી શકે છે. તેમ જ પત્રથી પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ને જાણ કરે છે.
રૂબરૂમાં સતત ર૪ કલાક કે ૩૬પ દિવસ સુધી કાર્યરત રહેતી પોલીસને જાણ કરી શકે છે. ઇ-મેઈલ કે વેબ સાઈટ
દ્વારા સતત ર૪ કલાક સેવા આપે છે.
લોકો પોલીસ પાસેથી કઈ અપેક્ષાઓ રાખે છે.
-
લોકો કોઈ બનાવ
બન્યા અંગેની નોંધ કરાવવા પોલીસ સ્ટેશનનો ટેલિફોનથી
સંપર્ક કરી ૬૦ સેકન્ડની અંદર તેનો જવાબ આપશે.
-
પોલીસની હાજરીની જરૂર હોય તેવા તમામ કિસ્સામાં ત્રીસ
મિનિટ પહેલાં જ પોલીસ સેવાનો લાભ મેળવી શકાય.
-
હેડ કોન્સ્ટેબલ કે તેથી
ઉપરના પોલીસ અધિકારી અરજદાર/
ફરિયાદની ફરિયાદ નોંધવા તેમના
ઘરની મુલાકાત લેશે.
-
મુલાકાત લેવાની
જરૂરિયાત ન હોય પણ બનાવની નોંધ કરાવવાની હોય ત્યારે પોલીસ સ્ટેશન ખાતે નોંધાશે.
-
અરજીની તપાસ ત્રણ દિવસમાં
પૂરી કરાશે.
-
અરજી તપાસ હેડ કોન્સ્ટેબલ કે ઉપરના અધિકારી તરત જ કરશે અરજી તપાસના કામે કોઈ વ્યકિતને પોલીસ સ્ટેશને બોલવાવામાં નહીં આવે.
-
કુટુંબના ઝઘડામાં, લગ્ન જીવનના ઝઘડામાં, મહિલા સુરક્ષા સમિતિ સમજાવટથી કામ લેવાશે. મહિલાને માનસિક, શારીરિક ત્રાસ હોય તો ઈપીકો ક. ૪૯૮(અ) હેઠળ
ગુનો બને.
-
પોસ્ટમોર્ટમ
રિપોર્ટ, ઈન્કવેસ્ટ વગેરેની ખરી નકલ નક્કી કરેલ દરે ૩ દિવસની અંદર અપાશે.
-
લોકો પોલીસ સ્ટેશને બનાવની નોંધ કરાવવા આવે ત્યારે
ફરિયાદ લેવાશે, ગુપ્તતા જળવાશે ત્વરીત અને હકારાત્મક કાર્યવાહી કરાશે. અધિકારી
દ્વારા વિલંબ થશે તેના કારણો અપાશે.
-
નાગરિક અધિકાર પત્રમાં દર્શાવેલ લોકોના અધિકાર પ્રત્યે પોલીસ સંવેદનશીલ અને હકારાત્મક વલન અપનાવશે. નમ્ર અને વિવેકી બનશે, લોકોને પોલીસના વર્તન અંગે
ફરિયાદ હોય તો નાયબ પોલીસ
અધીક્ષક કે પોલીસ અધીક્ષક પાસે કરી શકશે.
-
લોકભાગીદારી
દ્વારા ગુનાઓના નિવારણ માટે દરકે ગામમાં
"સેવાદળ"ની રક્ષણ કરશે. સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, એસોસિયેશનો
વગેરેનો સહકાર લેવાશે.
-
ગુના નિવારણ માહિતી મળે તેની ૩૦
મિનિટમાં ગુનાવાળી જગ્યાએ પોતે
પહોંચશે અને ટેલિફોન ઉપર માહિતી અપાય તેમાં પગલાં લેવામાં આવશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે.
-
કાયદો અને વ્યવસ્થાની હાજરીમાં મેળા, ઉત્સવો, જાહેર સમારંભોને વિના
મૂલ્યે બંદોબસ્ત
પૂરો પાડશે.
-
ખાનગી સમારંભોમાં નાણાં વસૂલ લઈ બંદોબસ્ત આપશે.
પોલીસ રક્ષણ - કોમી બનાવોમાં લધુમતી કોમના લોકોને રક્ષણ આપશે. પાકના ભેલાણ અટકાવવા માટે
ઘોડેસવાર પોલીસની મદદ આપશે. કોઈ પણ
નાગરિકને સ્વખર્ચે પોલીસ રક્ષણ
જરૂરિયાત હોય તો આપવામાં આવશે.
ટ્રાફીક - રોડ અકસ્માતની જાણ થતાંની સાથે ૧પ
મિનિટમાં બનાવવાળા સ્થળે
પહોંચવામાં આવશે. અને
ઘાયલ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી મેડિકલ સારવાર માટે રવાના કરશે.
વીમા માટે જરૂરી દસ્તાવેજોની નકલો ત્રણ દિવસમાં આપશે.
આગ, પૂર કે હોનારત - રેસ્ક્યુ અને
રિલીફ ઓપરેશન ટીમ
દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.