પોલીસ અધિક્ષક, સુરત
http://www.spsurat.gujarat.gov.in

નાગરિક અધિકારીપત્ર

6/13/2025 2:39:22 PM
  • નાગરીક અધિકાર પત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીઓમાં "જનસેવાકેન્દ્રો" ઊભા કરાવવા અંગે સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે. જે તમામ કચેરીઓમાં એક સમાન હશે. જે લોક અનુદાન/ ભંડોળથી કાર્યરત થનાર છે. જે જનસેવાકેન્દ્ર તરીકે ઓળખાશે .

  • આ કેન્દ્રમાં નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા લખવાની વ્યવસ્થા તથા પીવા માટે પાણીની વ્યવસ્થા, અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા તથા જરૂરી ફોર્મ ગેરે મેળવવા માટેની અઘતન વ્યવસ્થા પુરી પાડવામાં આવશે.

  • નાગરિક અધિકાર પત્ર પરત્ત્વે થનાર કાર્યવાહીની વિસ્‍તૃત સમજ / માર્ગદર્શન આપવામાં આવશે.

  • આ કેન્દ્ર માટે નાયબ પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારીની જન સંપર્ક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. જેથી અરજદારે વધુ રજૂઆત માટે તેમ જ તે અંગે માહિતી માટે જરૂર જણાયે તેઓશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.

  • આ કેન્દ્રમાં લોકોને આપવામાં આવતી સેવાના સંદર્ભમાં જે વહીવટી ખર્ચ થવા પાત્ર છે. તે સેવા ચાર્જ તરીકે અરજી દીઠ-રૂ.ર૦/- (વીસ)ની મર્યાદામાં નાગરિકો પાસેથી વસૂલ લેવાની સત્તા જે તે કચેરીના વડાને આપવામાં આવેલ હોઈ જરૂર જણાયે સેવા ચાર્જ વસૂલ લેવામાં આવશે અને આ અંગેની થનાર આવકનો ઉપયોગ આ કેન્દ્રને વધુ સક્ષમ તથા સુવિધાવાળો બનાવવા માટે કરવામાં આવશે.

ઉપરોક્ત જનસેવાકેન્દ્રનો મુદ્રાલેખ

પોલીસ જનસેવાકેન્દ્રમાં આવતા દરેક અરજદાર / નાગરિખૂબજ મહત્ત્વની વ્‍યક્તિ છે.તેઓ કોઈપણ રીતે આપણા ઉપર આધારિત નથી પરંતુ આપણો આધાર તેમની ઉપર રહેલો છે. આપણે સેવા આપીને તેમની ઉપર ઉપકાર કરતા નથી તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે.

નાગરિક અધિકાર પત્ર શા માટે ?

જડ અને સંવેદનશીલ તંત્રની કાર્યદક્ષતા અને શુદ્ધતા માટે નાગરિક સભાન બળવાન હોવા જોઈએ. જાગ્રત લોકો જ પારદર્શક અને શુઘ્ધ વહીવટના સત્રી છે. તંત્ર જવાબદાર પારદર્શક ત્યારે બને જયારે લોકોને તંત્રની કાર્યવિધિની જાણકારી હોય. ન્યાય વ્વહાર અને નિષ્ઠા દ્વારા તંત્ર નાગરિકોમાં વિશ્વાસ પ્રગટાવી શકે છે. લોક જાગૃતિ દ્વારા લોક ભાગીદારી મેળવીને ગુનાઓને નિવારી શકાય છે.

પોલીસ શું શું સેવાઓ આપે છે ?

કાયદો અને વ્યવસ્થા તેમ જ જાહેર વ્યવસ્થાની જાળવણી કરે છે. ગુનાઓ અટકાવવા તથા શોધવાની ગુનાઓ નોંધવાની, તપાસવાની , આરોપીને અટક કરવાની અને તે સામે કામ ચલાવવાની કાર્યવાહી કરે છે. વ્યવસ્થિત લોકોને તરત રક્ષણ આપે છે. વાવાઝોડું, આગ, ધરતીકંપ, રોગચાળો જેવી કુદરતી ઘટાનાઓ તથા બીજી આફતો વેળા પબ્લિકને મદદ કરવાની સેવાઓ આપે છે.

લોકો પોલીસનો સંપર્ક કઈ રીતે કરી શકે ?

ટેલિફોનથી તરત મદદ માટે કે અન્ય માહિતી આપવા માટે લોકો પોલીસ કંટ્રોલરૂમ ઉપર જાણ કરી કંટ્રોલમાં નોંધ કરાવી શકે છે. તેમ જ પત્રથી પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ને જાણ કરે છે. રૂબરૂમાં સતત ર૪ કલાક કે ૩૬પ દિવસ સુધી કાર્યરત રહેતી પોલીસને જાણ કરી શકે છે. ઇ-મેઈલ કે વેબ સાઈટ દ્વારા સતત ર૪ કલાક સેવા આપે છે.

લોકો પોલીસ પાસેથી કઈ અપેક્ષાઓ રાખે છે.

  • લોકો કોઈ બનાવ બન્‍યા અંગેની નોંધ કરાવવા પોલીસ સ્ટેશનનો ટેલિફોનથી સંપર્ક કરી ૬૦ સેકન્ડની અંદર તેનો જવાબ આપશે.

  • પોલીસની હાજરીની જરૂર હોય તેવા તમામ કિસ્સામાં ત્રીસ મિનિટ પહેલાં જ પોલીસ સેવાનો લાભ મેળવી શકાય.

  • હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના પોલીસ અધિકારી અરજદાર/ ફરિયાદની ફરિયાદ નોંધવા તેમના ઘરની મુલાકાત લેશે.

  • મુલાકાત લેવાની જરૂરિયાત ન હોય પણ બનાવની નોંધ કરાવવાની હોય ત્યારે પોલીસ સ્ટેશન ખાતે નોંધાશે.

  • અરજીની તપાસ ત્રણ દિવસમાં પૂરી કરાશે.

  • અરજી તપાસ હેડ કોન્સ્ટેબલ કે ઉપરના અધિકારી તરત જ કરશે અરજી તપાસના કામે કોઈ વ્યકિતને પોલીસ સ્ટેશને બોલવાવામાં નહીં આવે.

  • કુટુંબના ઝઘડામાં, લગ્ન જીવનના ઝઘડામાં, મહિલા સુરક્ષા સમિતિ સમજાવટથી કામ લેવાશે. મહિલાને માનસિક, શારીરિક ત્રાસ હોય તો ઈપીકો ક. ૪૯૮(અ) હેઠળ ગુનો બને.

  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઈન્કવેસ્ટ વગેરેની ખરી નકલ નક્કી કરેલ દરે ૩ દિવસની અંદર અપાશે.

  • લોકો પોલીસ સ્ટેશને બનાવની નોંધ કરાવવા આવે ત્યારે ફરિયાદ લેવાશે, ગુપ્તતા જળવાશે ત્વરીત અને હકારાત્મક કાર્યવાહી કરાશે. અધિકારી દ્વારા વિલંબ થશે તેના કારણો અપાશે.

  • નાગરિક અધિકાર પત્રમાં દર્શાવેલ લોકોના અધિકાર પ્રત્યે પોલીસ સંવેદનશીલ અને હકારાત્મક વલન અપનાવશે. નમ્ર અને વિવેકી બનશે, લોકોને પોલીસના વર્તન અંગે ફરિયાદ હોય તો નાયબ પોલીસ અધીક્ષક કે પોલીસ અધીક્ષક પાસે કરી શકશે.

  • લોકભાગીદારી દ્વારા ગુનાઓના નિવારણ માટે દરકે ગામમાં "સેવાદળ"ની રક્ષણ કરશે. સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, એસોસિયેશનો વગેરેનો સહકાર લેવાશે.

  • ગુના નિવારણ માહિતી મળે તેની ૩૦ મિનિટમાં ગુનાવાળી જગ્યાએ પોતે પહોંચશે અને ટેલિફોન ઉપર માહિતી અપાય તેમાં પગલાં લેવામાં આવશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે.

  • કાયદો અને વ્યવસ્થાની હાજરીમાં મેળા, ઉત્સવો, જાહેર સમારંભોને વિના મૂલ્યે બંદોબસ્ત પૂરો પાડશે.

  • ખાનગી સમારંભોમાં નાણાં વસૂલ લઈ બંદોબસ્ત આપશે.

પોલીસ રક્ષણ - કોમી બનાવોમાં લધુમતી કોમના લોકોને રક્ષણ આપશે. પાકના ભેલાણ અટકાવવા માટે ઘોડેસવાર પોલીસની મદદ આપશે. કોઈ પણ નાગરિકને સ્વખર્ચે પોલીસ રક્ષણ જરૂરિયાત હોય તો આપવામાં આવશે.

ટ્રાફીક - રોડ અકસ્માતની જાણ થતાંની સાથે ૧પ મિનિટમાં બનાવવાળા સ્થળે પહોંચવામાં આવશે. અને ઘાયલ વ્‍યક્તિઓને પ્રાથમિક સારવાર આપી મેડિકલ સારવાર માટે રવાના કરશે. વીમા માટે જરૂરી દસ્તાવેજોની નકલો ત્રણ દિવસમાં આપશે.

આગ, પૂર કે હોનારત - રેસ્‍ક્યુ અને રિલીફ ઓપરેશન ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુનાની નોંધણી અને તપાસ અંગે કયા અધિકારો છે ?

  • કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે તેની નકલ ફરિયાદની વિનામૂલ્યે ત્રણ કલાકની અંદર આપવામાં આવશે.

  • સ્થળ અને કાર્યક્ષેત્રના કોઈ પણ બંધન વિના ફરિયાદ નોંધવાંમાં આવશે.

  • ગુનાના સાક્ષીઓની તેના ઘરે તપાસવામાં આવશે. ગુનાનો ૬૦ દિવસમાં ગંભીર પ્રકારના ગુનાઓનો ૯૦ દિવસની અંદર નિકાલ કરવામાં આવશે. તપાસમાં વધુ સમય લાગે તેમ હોય તો ફરિયાદીને તે અંગેની જાણ કરશે.

  • ખોવાયેલ બાળક, વ્‍યક્તિઓને શોધવા માટે તપાસ જરૂરી પ્રયત્નો કરશે.

  • પંદર વર્ષથી નીચેનાં બાળોકને, વૃદ્ધોને, મહિલાઓને, માંદા માણસોને શક્ય બને ત્યાં સુધી પોલીસ સ્ટેશન બોલાવી શકાય નહીં.

  • કોર્ટમાંથી મિલકતનો કામચલાઉ કબજો અપવાવા ફરિયાદીને જરૂર મદદરૂપ બનશે.

  • સ્વાગત કક્ષ ખાતે તપાસ કયા તબકકામાં છે ?  તેની જાણ ફરિયાદીને કે ભોગ બનનારને કરાશે.

  • મહિલાને સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે અટકમા લઈ શકાશે નહીં.

  • મહિલાની અટક કે ઝડતી કે એસ્કોર્ટ મહિલા પોલીસ દ્વારા જ કરશે.

  • મહિલાને પોલીસ સ્ટેશનમાં અટક કરવામં આવે ત્યારે તેનાં સગાંને ત્યાં રહેવા દેવાની છૂટ અપાશે.

  • બાળ ગુનેગારને પોલીસ લોકઅપમાં ન મૂકી શકાય તેમને અટક કર્યા બાદ બાળગૃહોમાં કે સલામત સ્થળે ત્વરિત મોકલાશે.

  • દરેક અટકાયતીને હાથકડી પહેરાવી શકાય નહીં સિવાય કે જરૂર જણાયે હાથકડી પહેરાવી શકાય.

  • આરોપીઓ સાથે ગે.કા.ની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં.

  • જામીનલાયક ગુનાઓમાં અટકાયતીના કોઈ જામીન આપે તો તેને જામીન પર છોડવો.

  • જરૂરિયાત મુજબ સાક્ષીઓને જરૂરી પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવશે.

  • કેસ પૂરો થાય તેવા કિસ્સામાં કોર્ટમાંથી મિલકત પરત સોપવામાં ફરિયાદી/ બનનારને પોલીસ મદદ કરશે.

  • એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાની તપાસ નાયબ પોલીસ અધીક્ષક કરશે , અત્યાચારનો ભોગ બનેલ વ્‍યક્તિ કે સમૂહને પોલીસ રક્ષણ વિના મૂલ્યે આપવામાં આવશે.

  • ૧૬ વર્ષથી નીચેની બાળાને ભગાડી જવાના કેસની તપાસ પો.ઈન્સ. કરશે.

  • દહેજ મૃત્યુ તથા બળાત્કારના કિસ્સામાં સાબિતીનો બોજો આરોપીઓ ઉપર છે.

  • સ્ત્રી ધન પરત ન રહે કે વાપરવા ન દેવાય તો ઈપીકો ક. ૪૦૬ હેઠળ ગુનો બનશે.

  • લગ્ન જીવનનાં ૧૦ વર્ષની અંદર પરિણીત મહિલાના શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં નાયબ પોલીસ અધીક્ષક કરશે અને પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટરોની કરશે. ભોગ બનનાર મહિલાનુ મરણોત્તર નિવેદન એક જિ. મેજિ. લેશે.

દિલગીર છીએ, પોલીસના કાર્યક્ષેત્રમાં આ નથી આવતું.

  • કોર્ટ આરોપીને પોલીસ કસ્ટડીમાં ન સોંપે તો મિલકત રિકવર થઈ શકે નહીં.

  • આરોપી સાથે ગેરકાનૂની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય નહીં.

  • નાણાં, ચીટફંડ કે પરત ફરેલ ચેકના ગુનાઓમાં નાણાં રિકવર કરી શકાય નહીં.

  • જમીન, મકાન, ભાડુઆતના ઝઘડામા સમાધાન કરાવી શકાય નહીં.

  • નોન કોગ્નિઝેબલ ગુનાની ફરિયાદ રજિસ્ટર કરી શકાય નહીં, પરંતુ તેની તપાસ હાથ ધરી શકાય નહીં.

  • આરોપીને ઉતાવળથી અટક કરી શકાય નહીં.

  • દહેજની રકમ પરત કરાવવા માટે મદદ થઈ શકે નહીં.

  • માર્ગ અકસ્માતના ગુનાઓમાં ભોગ બનનાર કે તેનાં સગાંને વળતર આપવા વાહનના માલીક કે ડ્રાઈવર ઉપર દબાણ કરી શકાય નહીં.